ભારત માટે વિરાટ કોહલી આજે છેલ્લી T20 મેચ: આજે દક્ષિણ આફ્રિકા સામે ફાઈનલ મેચ જીત્યા બાદ વિરાટ કોહલીએ T20ક્રિકેટ માંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી, જુઓ ભાવુક થઈ ને શું કીધું એ સંપૂર્ણ માહિતી આ પોસ્ટ આપી છે.
ભારત માટે વિરાટ કોહલી આજે છેલ્લી T20 મેચ
વિરાટ કોહલીએ મેચ જીત્યા બાદ આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા કેપ્ટન રોહિત શર્મા ને ગળે લગાવીયા બાદ પોતાની નિવૃત્તિ જાહેર કરતા જણાવે છે કે આ મારો છેલ્લો T20 વર્લ્ડ કપ હતો અને અમે ગમે એ મેહનત કરીને ટીમ વર્ક કરી ને જીતવા માગતા હતા. ટીમ ઇન્ડિયા માટે આ મારી છેલ્લી T20 મેચ હતી. મને લાગે રહીયુ છે કે હવે મારે ટીમ ઇન્ડિયા ના T20 માંથી નિવૃત્તિ લેવાનો આ સારો સમય છે જે મારા માટે ખુબ સારી વાત છે હવે આગળની મેચ આવનારી નવી પેઢી આ વારસાને આગળ લઈ જશે.
વાત કરીયે કેપ્ટન રોહિત શર્મા નો આ નવમો વર્લ્ડ કપ હતો, જ્યારે મારો છઠ્ઠો T20 વર્લ્ડ કપ હતો. કોહલી જણાવે છે કે મારી છેલ્લી મેચો માં દેખાવ સારો નહોતો રહીયો પણ આજે મેં ખરા સમયે ટીમ ઇન્ડિયા તરફ થી ધીમી રમત રમીને સારું પર્ફોમન્સ આપ્યું હતું.
આ પણ વાંચો- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ફાયર ખાતામાં ભરતી 2024: ચીફ ઓફિસર ની જગ્યાઓ પર નોકરીનો મોકો
વિરાટ કોહલી એ આજે 59 બોલમાં 76 રન બનાવીયા હતા. આજની મેચ માં 6 ફોર અને 2 સિક્સર મારી હતી. આજે વિરાટ કોહલી ના 76 રનના ના યોગદાન ના લીધે ભારતે 176 સ્કોર બનાવ્યો દીધો હતો . જેને આજે દક્ષિણ આફ્રિકા ચેઝ કરવામાં ના કામયાબ રહીયુ હતું, એક સમય એવો હતો જયારે 24 બોલ માં 26 રનની જરૂર હતી, પણ વિકટો પડતા ભારત ના હાથ માં મેચ આવી ગઈ હતી.
સરકારી માહિતી ટીમ તરફથી ટીમ ઇન્ડિયા ને T20 વર્લ્ડ કપ જીતવા બદલ ખુબ ખુબ શુભકામનાઓ.
આ પણ વાંચો- GSSSB ભરતી 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં નોકરીનો મોકો
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..